Homeગુજરાતઅમદાવાદમાં બુધવારે નહીં મળે રિક્ષા; ઉબેર, રેપીડોમાં ચાલતા ખાનગી સ્કૂટર, બાઈક સામે...

અમદાવાદમાં બુધવારે નહીં મળે રિક્ષા; ઉબેર, રેપીડોમાં ચાલતા ખાનગી સ્કૂટર, બાઈક સામે વિરોધ

અમદાવાદના લોકોને બુધવારે ઓટો રિક્ષા નહીં મળે. અમદાવાદના રિક્ષાચાલકોએ આજે હડતાળનું એલાન કર્યું છે. ઓનલાઇન એપ્લિકેશનથી ચાલતા સફેદ નંબર પ્લેટ વાળા ટુ વ્હીલર બંધ કરાવવાની રિક્ષાચાલકાઓ માગ કરી છે. અમદાવાદ શહેરમાં લગભગ અઢી લાખ કરતા પણ વધુ ઓટોરિક્ષા તથા 80,000થી વધુ ટેક્સીઓ છે. જે બુધવારે હડતાળ પર ઉતરશે. છેલ્લા દોઢ વર્ષથી તેઓ માગ કરી રહ્યા છે. પરંતુ તેમના પ્રશ્નોનું નિરાકરણ નથી આવી રહ્યું. જેને લઈને ઓટોરિક્ષા ચાલક અને ટેક્સી ચાલકો દ્વારા ગાંધીચીંધ્યા માર્ગે હડતાળ પાળવાનું નક્કી કર્યું છે.

અમદાવાદ શહેરના તમામ રિક્ષાચાલક યુનિયન તથા ટેક્સી ચાલક યુનિયન સાથે મળીને “રોજી-રોટી બચાવ આંદોલન”માં સહભાગી થયા છે. જો સાંજ સુધીમાં સરકાર દ્વારા કોઈ ચોક્કસ જવાબ નહીં આપવામાં આવે તો આ આંદોલન વધુ લંબાઈ શકે છે. ઓટોરિક્ષા ચાલક યુનિયન દ્વારા જણાવવામાં આવ્યું છે કે, કોઈ આકસ્મિક સંજોગમાં મેડિકલ ઈમરજન્સી હોય તો એમ્બ્યુલન્સ અથવા 108નો સંપર્ક કરી શકો છો. અને અન્ય શહેરમાંથી આવતા મુસાફરોને આવતીકાલે ઓટોરિક્ષા અથવા ટેક્સી નહીં મળે તેથી આ મુસાફરો એ જાતે જ તેમની વ્યવસ્થા કરવી પડશે.

ઓટોરિક્ષા ચાલક યુનિયન દ્વારા અમદાવાદ જિલ્લા કલેકટરને મૌખિક અને લેખિત રીતે રજૂઆત કરવામાં આવી હતી કે ઓનલાઇન એપ્લિકેશન દ્વારા ચાલતા ગેરકાયદેસર સફેદ નંબર પ્લેટ વાળા ટુ વ્હીલર બંધ કરવામાં આવે અને  ઉબેર અને રેપીડોની હેરાનગતિ બંધ કરવામાં આવે. અનેક વખત આ રજૂઆતો કરવા છતાં આ પ્રશ્નોનું નિરાકરણ ન આવતા સવારથી જ ઓટોરિક્ષા ચાલકો અને ટેક્સી ચાલકો સાથે મળીને બંધ પાળવાના છે.

 

RELATED ARTICLES

Most Popular