Homeગુજરાતવડોદરામાં મેઘરાજાનું તાંડવ; 8 ઈંચ કરતા વધુ વરસાદથી ઠેર ઠેર ભરાયા પાણી

વડોદરામાં મેઘરાજાનું તાંડવ; 8 ઈંચ કરતા વધુ વરસાદથી ઠેર ઠેર ભરાયા પાણી

વડોદરા શહેર-જિલ્લામાં બુધવારે ધોધમાર વરસાદ પડ્યો. વડોદરામાં 10 કલાકમાં 8.5 ઇંચ જેટલો વરસાદ ખાબકતાં શહેરના રોડ-રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. કેટલીક જગ્યા છાતી સમા પાણી ભરાયા હતા. તો કેટલીક જગ્યા વૃક્ષ ધરાશાયી થવાના બનાવો બન્યા હતા. સ્થિતિ ગંભીર જણાતાં શાળા-કોલેજોમાં ગુરુવારે રજા જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત તંત્ર દ્વારા ઈમરજન્સી કંટ્રોલ નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે.

ભારે વરસાદની સ્થિતિને લઈને વડોદરા શહેરમાં આશરે 750 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જેમાં રામાપીર મહોલ્લો, વા૨સીયા, દશામાં તળાવ,સમતા ગ્રાઉન્ડ, બીલ તળાવ, પેન્શનપુરા, સયાજીગંજ, પરશુરામ ભઠ્ઠા, ફતેપુરા જેવા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર ક૨વામાં આવ્યું છે. મેડીકલ વિભાગની ટીમો દ્વારા તેઓનું ચેકઅપ પણ ક૨વામાં આવી રહ્યુ છે.
નીચાણવાળા વિસ્તારમાં તથા ઝુંપડપટ્ટી/વસાહતોમાં પાણી ભરાવાથી સ્થળાંતરિત કરેલા નાગરિકોને ફૂડ પેકેટ વિત૨ણની અને પીવાના પાણીની વિતરણની કામગીરી કરવામાં આવી છે. ભારે વ૨સાદની પરિસ્થિતિમાં આરોગ્ય વિષયક સુવિધાઓ માટે વિવિધ મેડીકલ ટીમની ચાલુ કામગીરી ક૨વામાં આવી છે. NDRF અને SDRFની વિવિધ ટીમોને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. વરસાદને કા૨ણે વિવિધ વિસ્તારોમાં 25 જેટલા વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. જેને દૂર કરવામાં આવ્યા છે.

વડોદરાના સલાટવાડા વિસ્તારમાં તુલસીભાઈની ચાલમાં 100 વર્ષથી વધુ જુનું એક મકાન ધરાશાયી થઈ ગયું હતું, જેને પગલે ફાયર બ્રિગેડ, SDRF યુનિટ-1 અને પોલીસ કાફલો ઘટના કરી દોડી ગયો હતો અને આ મકાનમાં એક વૃદ્ધ ફસાયા હોવાની આશંકાને પગલે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. JCB મશિનની પણ મદદ લેવામાં આવી હતી.

કોંગ્રેસના નેતા અમી રાવતે કર્યા પ્રહાર
વરસાદને કારણે વડોદરામાં થયેલી તારાજી અંગે કોંગ્રેસના કોર્પોરેટર અમી રાવતે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે, વડોદરામાં કોર્પોરેશન દ્વારા 2013વમાં નુર્મ યોજનાના નામે વરસાદી ગટરો બનાવવામાં 400 કરોડ રૂપિયા વાપર્યા છે. આટલો ખર્ચો કરીને પ્લાનિંગ કરવાનું હોય તો એ રીતનું કરવાનું હોય કે કોઈને તકલીફ ના પડે ,લોકોનું જનજીવન ઠપ ન થઈ જાય, જાનમાલ અને આર્થિક નુકસાન ન થાય. 10 વર્ષમાં કયા વિસ્તારોમાં પાણી ભરાતા ઓછા થયા અને કયા વિસ્તારોમાં દર વર્ષે પાણી ભરાય છે તે અંગેની જે યાદી કોર્પોરેશન બનાવે છે તે યાદી એવી ને એવી જ છે. તેમણે કહ્યું કે અમે રજૂઆત કરી હતી કે વડોદરાની પરિસ્થિતિની ગંભીરતાને લઇ આવતી કાલે રજા રાખો. તેને ધ્યાનમાં લઇ ને આવતી કાલે શાળા બંધ રાખવા શિક્ષણાધિકારીએ સંચાલકોને સૂચના આપી છે.

RELATED ARTICLES

Most Popular