Homeગુજરાતચોટીલાઃ વિનામૂલ્યે લોકોને મીઠો લીમડો આપી અનોખી સેવા કરતા પીપળીયા ગામના સુરેશભાઈ...

ચોટીલાઃ વિનામૂલ્યે લોકોને મીઠો લીમડો આપી અનોખી સેવા કરતા પીપળીયા ગામના સુરેશભાઈ ધાધલ

કહેવાય છે કે અત્યારે સ્વાર્થનો જમાનો છે. આજે કોઈ વ્યક્તિ પોતાના કોઈ પણ સ્વાર્થ વિના બીજાની મદદ નથી કરતો. પરંતુ આપણી સામે કેટલાક એવા દ્રશ્યો આવી જાય છે જે જોઈને આપણે એવું કહેવું પડે કે દુનિયામાં હજુ પણ માનવતા જીવે છે. આજે પણ ઘણા એવા લોકો છે કે જેઓ કોઈ પણ સ્વાર્થ વિના બીજા લોકોને થોડી ઘણી મદદ કરતા રહે છે.

જે વ્યક્તિને બીજા લોકોની સેવા કરવાની ભાવના હોય તે વ્યક્તિ ગમે તે રીતે અને ગમે તે પ્રકારે પોતાનાથી થઈ શકે એવી નાની મોટી સેવા કરી લેતા હોય છે. લોકો માટે એક સેવા કાર્યનું નાનું એવું ઉદાહરણ આપતો એક કિસ્સો ચોટીલાના પીપળીયા ગામમાં પણ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો – ફોરેસ્ટ ગાર્ડની ભરતીની શારીરિક કસોટી તારીખ જાહેર

ચોટીલાના પીપળીયા ગામના સુરેશભાઈ ધાધલ પણ લોકોની માનવસેવા કરે છે. સુરેશભાઈ ધાધલ ગામમાં એક નાનકડી હાટડી ચલાવે છે. અને આ હાટડી પર આવતા લોકોને તેઓ દર રવિવારે ઔષધીય રીતે ગુણવાળો અને રસોઈમાં ઘણો ઉપયોગી એવા મીઠો લીમડાનું વિતરણ કરે છે. શાક માર્કેટમાં આ લીમડો ઘણા મોંઘા ભાવે વેચાતો હોય છે. પરંતુ સુરેશભાઈ દર રવિવારે પોતાની રીતે લીમડો લઈને આવે છે અને લોકોને વિનામૂલ્યે લીમડો આપે છે.

સુરેશભાઈ ધાધલ સેવાકીય પ્રવૃત્તિઓ માટે જાણીતા છે. અને ભગવાનના ભજન તથા સત્સંગમાં પણ તેઓ રૂચિ ધરાવે છે. પોતાના ગામના લોકો પ્રત્યે સુરેશભાઈને પ્રેમભાવની લાગણી છે. તેથી જ તેઓ પોતાની હાટડી ચલાવવાની સાથે સાથે અનોખું માનવતાનું કાર્ય પણ કરે છે. માનવસેવા કરવા ઈચ્છતા લોકો માટે સુરેશભાઈ ધાધલ પ્રેરણા રૂપ બની રહ્યા છે.

RELATED ARTICLES

Most Popular