Homeગુજરાતનવરાત્રિને લઈને ચોટીલામાં માતાજીની આરતીના સમયમાં ફેરફાર; સવારે 4-30 વાગ્યે ખુલી જશે...

નવરાત્રિને લઈને ચોટીલામાં માતાજીની આરતીના સમયમાં ફેરફાર; સવારે 4-30 વાગ્યે ખુલી જશે દ્વાર

મા આદ્યશક્તિની આરાધનાના અવસર એવા નવરાત્રિને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. ત્યારે માઈભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવરાત્રિને લઈને માતાજીના મંદિરોમાં વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે. ચોટીલામાં પણ નવરાત્રિને લઈને ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. નવરાત્રિના દિવસોમાં આરતી અને દર્શનના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.

મંદિર ટ્રસ્ટ દ્વારા આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. મંદિર ટ્રસ્ટના જણાવ્યા પ્રમાણે 3 ઓક્ટોબર 2024થી 11 ઓક્ટોબર 2024 દરમિયાન 9 દિવસ સુધી માતાજીનો ડુંગર ચડવા માટે સવારે 4-30 વાગ્યે પગથિયાના દ્વાર ખુલી જશે અને સવારે 5 વાગ્યે માતાજીની આરતી થશે. જો કે સાંજની આરતીના સમયમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. સાંજે સૂર્યાસ્તના સમયે જ માતાજીની આરતી ઉતારવામાં આવશે.


10 ઓક્ટોબરના દિવસે ચોટીલામાં હવનાષ્ટમીને લઈને માતાજીનો હવન કરવામાં આવશે.જેમાં સાંજે 4 વાગ્યે બીડું હોમવામાં આવશે. નવરાત્રિમાં માતાજીના દર્શને આવતા માઈભક્તો માટે ચોટીલા ચામુંડા માતાજી ટ્રસ્ટ દ્વારા ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. હવનાષ્ટમી સિવાયના દિવસોમાં ભોજન પ્રસાદીનો સમય સવારે 11 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીનો રહેશે. અને હવનાષ્ટમીના દિવસે બીડું હોમાયા બાદ સાંજના 4 વાગ્યા પછી ભોજન પ્રસાદી લઈ શકાશે.

RELATED ARTICLES

Most Popular