Homeગુજરાતચોટીલાના પીપરાળીમાં મનરેગાના કામોમાં થયેલી ગેરરીતિ મામલે 20 લોકો વિરુદ્ધ ફરિયાદ; તત્કાલીન...

ચોટીલાના પીપરાળીમાં મનરેગાના કામોમાં થયેલી ગેરરીતિ મામલે 20 લોકો વિરુદ્ધ ફરિયાદ; તત્કાલીન સરપંચ સહિત 12 આરોપીઓની ધરપકડ

ચોટીલા તાલુકાના પીપરાળી ગામે વર્ષ ૨૦૨૩માં મનરેગા યોજના અંતર્ગત કરવામાં આવેલી ગેરરીતિ અને છેતરપિંડી મામલે 20 આરોપીઓમાંથી 12 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 3 આરોપીઓની ધરપકડ પછી પોલીસે પીપરાળી ગામના તત્કાલીન સરપંચ, તલાટી, કારકુન, અને ટીડીઓ કચેરીના કર્મચારીઓ સહિત 9 શખ્સોને ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.


મહત્વનું છે કે વર્ષ ૨૦૨૩માં પીપરાળી ગામે તળાવ અને કૂવા ઊંડા કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં ખોટા કાગળો અને દસ્તાવેજ ઊભા કરી 6.91 લાખની છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. તત્કાલીન સરપંચ, મેટ કારકુન, ટેકનિકલ આસિસ્ટન્ટ સહિત કુલ 20 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી. જેમાંથી કુલ 12 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular