રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતા ઈન્દ્રેશ કુમારે લોકસભાની ચૂંટણીના પરિણામો પર પોતાનું નિવેદન આપ્યું છે. તેમણે નામ લીધા વગર ભાજપ અને કોંગ્રેસના ઇન્ડિયા ગઠબંધન પર પ્રહાર કર્યા. ભાજપને તેમણે અહંકારી પાર્ટી કહી દીધી અને વિપક્ષી INDIA ગઠબંધનને ‘રામ વિરોધી’.
ગુરુવારે ઈન્દ્રેશ કુમારે જયપુર પાસે કાનોતામાં રામરથ અયોધ્યા યાત્રા દર્શન પૂજન સમારોહને સંબોધન કર્યું. આ દરમિયાન તેમણે કોઈ પણ પક્ષનું નામ લીધા વગર કહ્યું કે, ભગવાન શ્રી રામ બધા સાથે ન્યાય કરે છે. 2024ની લોકસભાની ચૂંટણીનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે જે પાર્ટીએ ભગવાન રામની ભક્તિ કરી, પરંતુ અહંકારી થઈ ગઈ, તેને સૌથી મોટી પાર્ટી તો બનાવી દીધી પણ 241 પર રોકી દીધી, જે પૂર્ણ હક મળવો જોઈએ, એ અહંકારના કારણે ભગવાને રોકી દીધો. ઉપરાંત વિપક્ષી ગઠબંધન પર પ્રહાર કરતાં તેમણે કહ્યું કે જેમની રામમાં કોઈ આસ્થા નહોતી, તેમણે રામનો વિરોધ કર્યો, તેમાંથી કોઈને પણ સત્તા ન આપી. તેમને એક સાથે 234 પર રોકી દીધા. અહી સુધી કે એ બધાને એક સાથે નંબર 2 બનાવી દેવામાં આવ્યા.

તેમણે કહ્યું કે ભગવાન રામનો ન્યાય સાચો અને આનંદદાયક છે. જે લોકો રામની પૂજા કરે છે તેમણે વિનમ્ર હોવું જોઈએ અને જે રામનો વિરોધ કરે છે, ભગવાન સ્વયં તેમને નિપટે છે. ભગવાન રામ ભેદભાવ કરતા નથી અને દંડ આપતા નથી. રામ કોઈનો વિલાપ કરતાં નથી. રામ બધાને ન્યાય આપે છે. ભગવાન રામ હંમેશાં ન્યાયપ્રિય છે અને ન્યાયપ્રિય રહેશે. ભગવાન રામે લોકોની રક્ષા કરી અને રાવણનું પણ ભલું કર્યું.
મહત્વનું છે કે આ પહેલાં નાગપુરમાં આયોજિત કાર્યક્રમમાં મોહન ભાગવતે કહ્યું હતું કે જે સાચો સેવક છે, જેને વાસ્તવિક સેવક કહી શકાય છે એ મર્યાદાથી ચાલે છે. એ મર્યાદાનું પાલન કરીને જે ચાલે છે, એ કર્મ કરે છે, પરંતુ કર્મોમાં લપેટાયેલા હોતા નથી. તેમાં અહંકાર આવતો નથી કે મેં કર્યું. એ જ સેવક કહેવાવાનો અધિકારી રહે છે. એક સાચા સેવક ગરિમા બનાવી રાખે છે. તે કામ કરતી વખત મર્યાદાનું પાલન કરે છે. તેને એ અહંકાર નથી કે મેં આ કામ કર્યું છે. માત્ર એ વ્યક્તિને સાચો સેવક કહી શકાય છે.
હવે મોહન ભાગવતનું આ નિવેદન કોના સંદર્ભમાં હતું એ તમે વિચારી લેજો. હવે જોવાનું એ છે કે RSS ના નેતાના નિવેદન પર ભાજપની શું પ્રતિક્રિયા આવે છે.