શ્રાવણ મહિનો આવતા ઠેર ઠેર જુગાર રમવાનું ચાલુ થઈ જાય છે. ત્યારે યાત્રાધામ અંબાજીથી ચાલુ શ્રાવણ મહિનામાં અત્યાર સુધીનું સૌથી મોટું જુગાર ધામ ઝડપાયું છે. જુગાર રમતા 37 ઈસમોને ઝડપી લેવામાં આવ્યા છે. અંબાજીની નામાંકિત ધ્રાંગધ્રા ધર્મશાળામાં જુગાર રમવામાં આવી રહ્યો હતો. જે અંગે જાણ થતાં પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો અને 37 ઈસમોને ઝડપી લેવાયા. જેઓ તીન પત્તીનો જુગાર રમી રહ્યા હતા. 1 લાખ 86 હજાર 650 રૂપિયાની રોકડ, એક આઈસર અ ત્રણ કાર સહિત 35 મોબાઈલ જપ્ત કરાયા છે. અને કુલ 19 લાખ 93 હજાર 850ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ઝડપાયેલા તમામ જુગારીઓ વીસનગરના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. જેમની સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો- ધોરણ-12 પાસ યુવાનો માટે સરકારી નોકરીની તક