Homeગુજરાતઅમરેલીના નવા માર્કેટિંગ યાર્ડમાં દુર્ઘટના; ઘઉંની ગુણીઓ પડતાં એક મજૂરનું કરુણ મૃત્યુ

અમરેલીના નવા માર્કેટિંગ યાર્ડમાં દુર્ઘટના; ઘઉંની ગુણીઓ પડતાં એક મજૂરનું કરુણ મૃત્યુ

અમરેલીના નવા માર્કેટિંગ યાર્ડમાં દુર્ઘટના સર્જાય છે. નવા માર્કેટિંગ યાર્ડના ગોડાઉનમાં ઘઉંની ગુણીઓ ઉતારવામાં આવી રહી હતી. એ દરમિયાન અકસ્માતે ઘઉંની ગુણીઓ પડતાં ગુણીઓ નીચે પાંચ મજૂરો દબાઈ ગયા. જે પૈકી એક મજૂરનું કરુણ મોત નિપજ્યું છે, જ્યારે અન્ય ચાર મજૂરોને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા છે.

વેપારીના ગોડાઉનમાં બની ઘટના
અમરેલીના નવા માર્કેટિંગ યાર્ડમાં આવેલા વેપારીના એક ગોડાઉનમાં આ દુર્ઘટના સર્જાઈ. ગોડાઉનમાં મજૂરોને ઘઉંની ગુણીઓ ઉતારવા બોલાવવામાં આવી રહ્યા હતા. મજૂરો ઘઉંની ગુણીઓ ઉતારી રહ્યા હતા એ સમયે ગુણીઓ મજૂરોની માથે ધસી પડી. જેની નીચે પાંચ મજૂરો દબાઈ ગયા. જે પૈકી એક મજૂરનું મોત થયું. આ ઘટના બાદ નવા માર્કેટિંગ યાર્ડમાં અફરાતફરી મચી ગઈ.

થપ્પીમાંથી ગુણીઓ ઉતારતા બની ઘટના
અમરેલી નવા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી તુષાર હાપાણીનું કહેવું છે કે ,યાર્ડમાં વેપારીના ગોડાઉનમાં ઘઉંની મોટી થપ્પી કરેલી હતી.જે થપ્પીમાંથી ગુણીઓ ઉતારતી વખતે આ ઘટના બની હતી. જે મજૂરનું મૃત્યુ થયું છે એ મજૂરનું નામ વિપુલ દીનેશભાઈ કનક છે.તેમની ઉંમર આશે 30 વર્ષ હતી અને જેઓ નવા ખીજડીયા ગામના વતની હતા. આ સિવાય અન્ય ઈજાગ્રસ્ત મજૂરોના નામ જયંતીભાઈ ભેસાણિયા, વિપુલભાઈ ગોહિલ, ધનસુખભાઈ ભેસાણિયા અને નટુભાઈ ભાલુ છે.

RELATED ARTICLES

Most Popular