સુરેન્દ્રનગર ચોટીલા હાઇવે પર ફરી એક વખત અકસ્માત સર્જાયો . રોડ પરથી જઈ રહેલી રાજકોટ સુરેન્દ્રનગર રૂટની એસટી બસ પલટીને ખાડામાં ખાબકી ગઈ. એસટી બસમાં 30થી વધુ મુસાફરો સવાર હતા.જે પૈકી પાંચ મુસાફરોને ઈજા પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ઘટનાનલ અંગે જાણ થતાં પોલીસ પણ અકસ્માત સ્થળે આવી પહોંચી અને અકસ્માત અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી. બસના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે.