Homeગુજરાતચોટીલાઃ માતાજીના મઢમાંથી મળી પુરુષની લાશ; હત્યા કે આત્મહત્યા?

ચોટીલાઃ માતાજીના મઢમાંથી મળી પુરુષની લાશ; હત્યા કે આત્મહત્યા?

ચોટીલા તાલુકાના પાજવાળી ગામમે માતાજીના મઢમાંથી એક પુરુષની લાશ મળી આવતા ચકચાર મચી છે.માતાજીના મઢમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં પુરુષની લાશ મળી આવી. જો કે આ મામલે મૃતકના પરિવારજનોએ પુરુષની હત્યા કરીને કોઈએ તેની લાશ આવી રીતે લટકેલી હાલતમાં મૂકી દીધી હોવાનો આક્ષેપ કર્યો છે. ઘટના અંગે જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને પુરુષની લાશને ચોટીલા હોસ્પિટલ લઈ જવાઈ હતી. જ્યાંથી પોસ્ટમોર્ટમ માટે રાજકોટ હોસ્પિટલ લઈ જવામાં આવી.

આ તરફ મૃતક પુરુષના સમાજના લોકો મોટી સંખ્યામાં ચોટીલાની હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા. જેને લઈને હોસ્પિટલ ખાતે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ સહિત મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓનો બંદોબસ્ત  ગોઠવી દેવાયો હતો. પુરુષની હત્યા થઈ છે કે આત્મહત્યા તેનો ખ્યાલ પોસ્ટમોર્ટમ રીપોર્ટ બાદ આવશે. ચોટીલે પોલીસે આ સમગ્ર મામલે આગળની તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular