રાજ્યમાં આગામી બે દિવસ બાદ ગરમીનું પ્રમાણ ફરી વધી શકે છે. અત્યારે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ તરફના પવન હોવાથી તાપમાન થોડું નીચું લાગી રહ્યું છે. પરંતુ બે દિવસ બાદ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી વધારો થઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બે દિવસ બાદ અમદાવાદ તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છનું તાપમાન 40 ડિગ્રીને પાર જાય તેવી સંભાવના છે.
જો કે બે દિવસ માટે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. રવિવારે પણ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું જેને કારણે લોકોને ગરમીથી થોડી રાહત અનુભવાઈ હતી.