ચોટીલામાં ધાર્મિક સ્થાન ઊભું કરવાના હેતુથી અયોગ્ય રીતે ફાળો મેળવવા ચમત્કારિક શક્તિના નામે અંધશ્રદ્ધા ફેલાવવાની ઘટનાનો પર્દાફાશ થયો છે. ચોટીલાના ત્રંબોડા ગામમાં રહેતા મોહનભાઈ ખેતરિયાએ એવી વાતો વહેતી કરી હતી કે તેમના ઘરના નળિયા પર પથ્થરો પડી રહ્યા છે. આમ છતાં નળિયામાં સહેજ પણ નુકસાન નથી થતું. ચમત્કારિક શક્તિથી આવું થઈ રહ્યાનો દાવો કરવામાં આવી રહ્યો હતો.

આ દાવા અંગે જાણ થતાં વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા અને તેમની ટીમે ચોટીલા પોલીસને સાથે રાખીને મોહનભાઈના ઘરે દરોડા પાડ્યા અને દરોડામાં મોહનભાઈએ ધાર્મિક સ્થાન ઊભું કરવા ખોટી રીતે ફાળો ભેગો કરવા આ તિકડમ રચ્યું હોવાનો ખુલાસો થયો છે. મોહનભાઈ માફી માગીને હવે આવું ન કરવા બાંહેધરી આપી છે.
