Homeદેશકેદારનાથમાં હેલિકોપ્ટર તૂટી પડ્યું; લિફ્ટ કરી લઈ જવાઈ રહેલા ક્ષતિગ્રસ્ત હેલિકોપ્ટરને ખીણમાં...

કેદારનાથમાં હેલિકોપ્ટર તૂટી પડ્યું; લિફ્ટ કરી લઈ જવાઈ રહેલા ક્ષતિગ્રસ્ત હેલિકોપ્ટરને ખીણમાં છોડી દેવાયું

કેદારનાથમાં હેલિકોપ્ટર તૂટી પડતાં અફરાતફરી મચી ગઈ. કેદારનાથ અને ગૌચર વચ્ચે ભીમબલી નજીક એક હેલિકોપ્ટર નીચે પડ્યું. મળતી માહિતી પ્રમાણે કેદારનાથ ધામમાં આવેલા એક કિસ્ટ્રલ હેલિકોપ્ટરમાં ખામી સર્જાઈ હતી.તેથી MI-17 હેલિકોપ્ટર દ્વારા તેને લિફ્ટ કરવામાં આવી રહ્યું હતું.જે દરમિયાન ભારે પવન અને વજનને કારણે હેલિકોપ્ટરનું સંતુલન ખોરવાયું. જેને લઈને પાઇલટે એ હેલિકોપ્ટર ખાડીમાં જ છોડી દીધું હતું.

24 મેના રોજ કિસ્ટ્રલ એવિએશનના એક હેલિકોપ્ટરમાં ખામી સર્જાઈ હતી.6 મુસાફરોને લઈને આવેલા હેલિકોપ્ટરમાં ખામી સર્જાતા હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું.લેન્ડિંગ પહેલા હેલિકોપ્ટર 8 વખત હવામાં ફંગોળાયું હતું. જો કે પાયલોટ અને તેમાં સવાર 6 મુસાફરો સુરક્ષિત રહ્યા હતા. તમામ મુસાફરોને સલામત બહાર કાઢવામાં આવ્યા હતા. આ મુસાફરો સિરસી હેલિપેડથી કેદારનાથ ધામના દર્શન કરવા જઈ રહ્યા હતા ત્યારે હેલિકોપ્ટરમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી.

લેન્ડિંગ બાદ હેલિકોપ્ટર હેલિપેડ પર જ રાખવામાં આવ્યું હતું. જેને MI-17 હેલિકોપ્ટર દ્વારા લિફ્ટ કરવામાં આવી રહ્યું હતું. જે દરમિયાન MI-17નું બેલેન્સ ખોરવાયું હતું.જોખમને જોતા પાઈલટે એ હેલિકોપ્ટરને ખીણમાં જ છોડી દીધું.

જિલ્લા પ્રવાસન અધિકારીના જણાવ્યા પ્રમાણે, હેલિકોપ્ટરના વજન અને ભારે પવનના કારણે MI-17નું બેલેન્સ ખોરવાયું હતું.તેથી થારુ કેમ્પ પાસે પહોંચતા જ તેને ડ્રોપ કરી દેવામાં આવ્યું હતું.જો આમ કરવામાં ન આવ્યું હોત તો MI-17ને પણ નુકસાન થવાની સંભાવના હતી.અધિકારીએ વધુમાં જણાવ્યું કે હેલિકોપ્ટર કોઈ રહેણાંક વિસ્તારમાં પડ્યું ન હતું, તેથી કોઈ જાનહાનિ થઈ નથી. ઘટના બાદ SDRFના જવાનોએ ઘટનાસ્થળે પહોંચીને હેલિકોપ્ટરના કાટમાળની શોધખોળ શરૂ કરી હતી.

ઉલ્લેખનીય છે કે મુસાફરોને કેદારનાથ મંદિર સુધી લઈ જવા માટે આ હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવતો હતો.

RELATED ARTICLES

Most Popular