ફિલ્મ અભિનેતા ગોવિંદાને ગોળી લાગી હોવાના સમાચાર સામે આવ્યા છે. જેમાં ઈજા થતાં ગોવિંદાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગોવિંદાને ગોળી લાગ્યાના સમાચાર મળતાં જ તેમના ચાહકો ચિંતામાં મૂકાઈ ગયા છે.

રિવોલ્વર સાફ કરતાં થયું ફાયરિંગ
મળતી માહિતી પ્રમાણે લાયસન્સવાળી રિવોલ્વર સાફ કરતી વખતે મિસફાયર થયું અને તેને કારણે એક ગોળી ગોવિંદાને ઘૂંટણમાં વાગી હતી. જે બાદ તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.
વહેલી સવારે બન્યો બનાવ
મંગળવારે સવારે 4:45 વાગ્યા આસપાસ આ ઘટના બની. ગોવિંદાના મેનેજર શશિ સિન્હાએ જણાવ્યું કે મંગળવારે સવારે ગોવિંદા કોલકાતા જવાની તૈયારી કરી રહ્યા હતા. તેઓ પોતાની રિવોલ્વર સાફ કરીને કેસમાં રાખી રહ્યો હતો એ દરમિયાન તેમના હાથમાંથી રિવોલ્વર નીચે પડી ગઈ. રિવોલ્વર નીચે પડતાની સાથે તેમાંથી ફાયરિંગ થયું અને એક ગોવિંદાને ઘૂંટણમાં વાગી. જે બાદ તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.

હાલ ગોવિંદા ક્રિટીકેર હોસ્પિટલમાં સારવાર હેઠળ
વધુમાં શશિ સિન્હાએ જણાવ્યું કે ડોક્ટરોએ ગોવિંદાના ઘૂંટણમાંથી ગોળી કાઢી નાખી છે અને ગોવિંદાની તબિયત સ્થિતર છે. જો કે હોસ્પિટલ દ્વારા આ અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. હાલ ગોવિંદા મુંબઈની ક્રિટી કેર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘટના અંગે જાણ થતાં પોલીસની ટીમ પણ હોસ્પિટલ પહોંચી ગઈ અને બનાવ અંગે તપાસ હાથ ધરી છે.