Homeગુજરાતનવરાત્રિને લઈને ચોટીલા પોલીસે જાહેર કર્યા હેલ્પલાઈન નંબર

નવરાત્રિને લઈને ચોટીલા પોલીસે જાહેર કર્યા હેલ્પલાઈન નંબર

નવરાત્રિની શરૂઆત થઈ રહી છે, ત્યારે નવરાત્રિના દિવસોમાં ચોટીલામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ દિવસોમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચોટીલા પોલીસ વધુ સજ્જ બની છે.ચોટીલા પોલીસ દ્વારા શહેરમાં ફરી પહેલી ઓક્ટોબરે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ, જીઆરડી અને ટીઆરબીના જવાનો જોડાયા હતા.

ચોટીલામાં શ્રદ્ધાળુઓની ભીડને કારણે તેમજ રાત્રિના સમયે સ્થાનિક ગરબા મહોત્સવમાં કોઈ જગ્યાએ રોમીયો દ્વારા બાઈક સ્ટન્ટ કે લોકોને હેરાનગતિ ન થાય તેમજ યુવતીઓ અને બાળાઓ સાથે કોઈ પ્રકારનો દુર્વ્યવહાર ન થાય તે માટે તકેદારીના ભાગ રૂપે પોલીસ દ્વારા જુદા જુદા હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે.

જેમાં ચોટીલા પોલીસ સ્ટેશનનો લેન્ડલાઈન તેમજ મોબાઈલ નંબર, શી ટીમનો નંબર, સર્વેલન્સ સ્ક્વોડનો નંબર તેમજ ચોટીલા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટરનો નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

Most Popular