ભાજપના નેતાઓના વિવાદિત નિવેદન સામે ક્ષત્રિય સમાજનો રોષ યથાવત છે. સુરેન્દ્રનગરના લખતર બાદ થાનગઢમાં પણ ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપ વિરુદ્ધ હલ્લાબોલ કરવામાં આવ્યો. જેને લઈને થાનગઢ પોલીસ દ્વારા ક્ષત્રિય સમાજના 25થી 30 યુવાનોની અટકાયત કરવામાં આવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી બીજી મે ના રોજ સુરેન્દ્ર નગર આવી રહ્યા છે. જેની તૈયારીમાં ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણની આગેવાનીમાં થાનગઢમા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્ષત્રિય સમાજના આગેવાનો બેઠક સ્થળે પહોચી ગયા અને ‘રૂપાલા હાય….હાય.’, કમલ કા ફુલ, હમારી ભૂલ’ વગેરે જેવા નારાઓ સાથે વિરોધ કરવા લાગ્યા. બાદમાં ક્ષત્રિય સમાજના 25થી 30 યુવાનોની થાનગઢ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે લખતર ખાતે પણ ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. લોકસભા ચૂંટણી અંતર્ગત ભાજપનાના કાર્યાલયના ઉદઘાટન કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના યુવકોએ જય ભવાની ભાજપ જવાની જેવા સૂત્રોચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું આ કાર્યાલય લોકાર્પણ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ , ધારાસભ્ય પીકે પરમાર, જિલ્લા ભાજપ પ્રભારી, જિલ્લા ભાજપ મહામંત્રી, તાલુકા ભાજપ મંડલ પ્રભારી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.