Homeગુજરાતએકસાથે 40થી વધુ વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ થતાં દોડધામ; ફૂડ પોઈઝનિંગનું કારણ જાણવા...

એકસાથે 40થી વધુ વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ થતાં દોડધામ; ફૂડ પોઈઝનિંગનું કારણ જાણવા આરોગ્ય વિભાગ દ્વારા તપાસ


સુરત જિલ્લામાં 40થી વધુ વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ થયાની ઘટના સામે આવી છે. સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં આવેલા ઉમરગોટ ગામમાં આદર્શ નિવાસી શાળા આવેલી છે. જ્યાં શાક અને દાળભાત ખાધા બાદ 40થી વધુ વિદ્યાર્થીઓને એક સાથે ઝાડા-ઊલટી થવા લાગતાં દોડધામ મચી ગઈ. શાળાના સ્ટાફ દ્વારા અસરગ્રસ્ત તમામ વિદ્યાર્થીઓને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. જ્યાં વિદ્યાર્થીઓની તબિયતમાં સુધારો જણાતાં સહુએ રાહતનો શ્વાસ લીધો.

ફૂડ પોઈઝનિંગનું કારણ જાણવા તપાસ
ઉમરપાડા તાલુકાના ઉમરગોટ ગામમાં આવેલી આદર્શ નિવાસી શાળામાં ધોરણ-8થી ધોરણ-12માં 250થી 300 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેમના ભોજન માટે શાળામાં રીંગણાનું શાક, દાળભાત બનાવવામાં આવ્યા હતા. પરંતુ ભોજન કર્યા બાદ 40થી વધુ વિદ્યાર્થીઓની અચાનક તબિયત બગડી અને તેમને ઝાડા-ઊલટી થવા લાગ્યા. જેને લઈને તેમને તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા. જ્યાં તબિયતમાં સુધારો જણાતા તેમને રજા આપવામાં આવી. બાળકોને ક્યા કારણોસર ઝાડા-ઊલટી થયા તેની વિગતો હાલ તો સામે નથી આવી. પરંતુ ઉમરપાડા તાલુકા આરોગ્ય વિભાગની ટીમ આ અંગે તપાસ કરી રહી છે. વાતાવરણમાં આવેલો પલટો અને નબળી ગુણવત્તાવાળી રસોઈને કારણે બાળકોને ફૂડ પોઈઝનિંગ થયું હોવાનું તારણ છે. જો કે એક માહિતી એવી પણ સામે આવી છે કે બાળકોને ચેવડો પણ આપવામાં આવ્યો હતો. અને એ ચેવડો ખાધા બાદ વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી.

RELATED ARTICLES

Most Popular