ચોટીલા નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે ‘માસ્ટરસ્ટ્રોક’ લગાવ્યો છે. કોંગ્રેસે વોર્ડ નંબર-1માંથી પૂર્વ પ્રમુખ રવુભાઈ ખાચરને મેદાનમાં ઉતારતા જ રાજકીય ગણિત બદલાય જવાના એંધાણ છે.. સમગ્ર શહેરના 6 વોર્ડમાં રવુભાઈની કામગીરી અને લોકચાહનાને જોતા આ વખતે નગરપાલિકા પર કોંગ્રેસ કબ્જો મેળવે તેવી પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે.
રવુભાઈ ખાચર ભલે વોર્ડ નંબર-1ના ઉમેદવાર હોય, પરંતુ શહેરના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે. અને તેમણે તેમના કાર્યકાળમાં શહેરના છએય વોર્ડમાં કોઈપણ ભેદભાવ વગર એકસરખો વિકાસ કર્યાનું સ્થાનિકો કહી રહ્યા છે. આ ઉપરાંત નાગરિકોની ફરિયાદ સાંભળીને તેનો તાત્કાલિક ઉકેલ લાવવા માટે તેઓ જાણીતા છે. તેમની છબી પણ સ્વચ્છ છે. જેને લઈને વિરોધીઓ પણ તેમના વહીવટ તરફ આંગળી ઉઠાવી શકતા નથી.

વોર્ડ-1માં ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે હાજર રહેલા પૂર્વ ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણાએ કહ્યું કે કોંગ્રેસ લોકહિતના કાર્યો માટે કટિબદ્ધ છે અને રવુભાઈ તેનું ઉત્તમ ઉદાહરણ છે. આ ચૂંટણીમાં રવુભાઈ માત્ર ઉમેદવાર નથી, તેઓ નગરપાલિકા માટે કોંગ્રેસનો ચહેરો છે. સ્થાનિક પક્ષના જૂના કાર્યકરો કહી રહ્યા છે કે રવુભાઈ મેદાનમાં આવતા જ ચોટીલામાં અડધી બાજી કોંગ્રેસ જીતી ગઈ છે. તેમની કામગીરીનો લાભ દરેક વોર્ડના ઉમેદવારોને મળશે. અને આ વખતે ચોટીલા નગરપાલિકા કોંગ્રેસની જ બનશે. તેવો વિશ્વાસ તેઓ વ્યક્ત કરી રહ્યા છે.
